Explore

Search

December 27, 2025 11:30 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ડોલવણમાં બે દુકાનોના તાળા તૂટ્યાં

ડોલવણ ખાતેના ચાર રસ્તા પર આવેલી પશુ આહારની બે દુકાનોને તસ્કરોએ નિશાનો બનાવી શટરના તાળા તોડી રોકડા રૂપિયા ૧.૪૦ લાખ તથા ડીવીઆર સહિત સીસીટીવી કેમેરાના સાધનો મળી કુલ રૂપિયા ૧.૪૪ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણમાં વ્યારા-ઉનાઈ રોડ પર સ્વામીનારાયણ મંદિરની બાજુમાં ચાર રસ્તા પર મુકેશભાઈ કૈલાશભાઈ શર્માની મારુતિ ટ્રેડર્સ નામે પશુ આહારની દુકાન છે.

જોકે દુકાનના ઉપર રહેણાંક મકાનમાં તેઓ પરિવાર સાથે રહે છે. જયારે શનિવારે સવારે દુકાન ખોલવા નીચે આવીને જોતા આગળનું શટર થોડું ઉંચુ થયેલું દેખાયું હતું.જેથી અંદર જઈને જોતા ગલ્લાનું લોક તૂટેલું હતું અને અંદર મુકેલા રૂપિયા ૭૦,૦૦૦/- ચોરી થયા હતા. ઉપરાંત દુકાનમાં મુકેલા સીસીટીવી કેમેરા ફેરવ્યા હતા અને કનેક્ટર રૂપિયા ૨૦૦૦ પણ ચોરાઈ ગયું હતું એજ રીતે નજીકમાં આવેલી જયસુખભાઈ હિંમતભાઈ કાતરીયાની કિસ્મત પશુ આહારની દુકાનમાં પણ શટરનું તાળું તોડી ગલ્લામાંથી રોકડા રૂપિયા ૭૦,૦૦૦ તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆર રૂપિયા ૨૦૦૦/-ની ચોરી થઈ હતી. જેથી મુકેશભાઈ શર્માએ પોલીસ મથકે બંને દુકાનોમાં કુલ રોકડા રૂપિયા ૧,૪૦,૦૦૦/- તથા સીસીટીવી કેમેરાના સાધનો મળી કુલ રૂપિયા ૧,૪૪,૦૦૦/-ની ચોરી થયાની ફરિયાદ આપી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 4 8
Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248