Explore

Search

July 18, 2025 1:23 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : આંબાપાણી આશ્રમશાળામાં છેડતીની ફરિયાદ બાદ વિદ્યાર્થિનીનો આપઘાત

ડોલવણના આંબાપાણી ખાતે આવેલ વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે રસોઇયા કામ માટે રસોડામાં બોલાવી બે રસોઈયા અભદ્ર વ્યવહાર કરતા હતા. તારીખ ૧૦ ના રોજ એક જાગૃત વાલીએ પોતાની દિકરી તથા અન્ય વિદ્યાર્થિનીઓ સાથે દુરવ્યવહાર અંગે પોલીસ ફરિયાદ કરી હતી.

રસોઈયા ધીરૂભાઈ અને રમેશ દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં તેમજ જાતિય સતામણીનો મામલો હોવા છતાં પોલીસે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ અપનાવતા આખરે રવિવારે એક વિદ્યાર્થિનીએ જીવ ગુમાવવો પડ્યો છે. ડોલવણ તાલુકાના આમણીયા ગામની રહીશ અને આંબાપાણી આશ્રમશાળામાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ રવિવારે પોતાના ઘરમાં આડી પાટડી સાથે નાઈલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તા.૧૦ ના રોજ ગુનો નોંધાયો છતાં ગંભીર ઘટનામાં પોલીસની ધીમી કામગીરીએ આરોપીઓને છુટો દોર મળતા અમે દીકરી ગુમાવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 0 8 6 5 1
Users Today : 11
Users Last 30 days : 768
Total Users : 8651