Explore

Search

February 15, 2026 6:33 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં છેલ્લા ૨૪ કલાકમાં અડાજણ અને પાલ વિસ્તારના ૯૨ લોકોનું સ્થળાંતર કરાયું

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને પરિણામે તાપી નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રેવાનગર(અડાજણ)માં પાણી આવવાની શક્યતા હોવાથી સાવચેતીના ભાગરૂપે તા.૨૫ ના રોજ સાંજે ૭:૩૫ કલાકે ૧૫ પરિવારોના ૪૨ લોકોને નજીકની નગર પ્રા. શાળા ક્રમાંક ૮૮ ખાતે સ્થળાંતર કરાયા છે.

તેમજ ઉકાઈમાં વધતી પાણીની આવકને પરિણામે પાલ આર.ટી.ઓની બાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી સાવચેતીના પગલે આજે બપોરે ૧૨:૦૦ કલાકે સ્થાનિક ૫૦ જેટલા રહેવાસીઓને પોતાના સગા સંબંધીને ત્યાં સ્થળાંતર કરાવાયું છે. બંને સ્થળોના કુલ ૯૨ અસરગ્રસ્તોને પાલિકાના રાંદેર ઝોન દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 1 4
Users Today : 2
Users Last 30 days : 1147
Total Users : 13114