તાપી : સોનગઢના હાથી ફળિયા ખાતે આવેલા મંદિર ઉપર ગેરકાયદે કરવામાં આવેલું દબાણ દૂર કરવા નારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા સોનગઢ નગરપાલિકાને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે,સોનગઢ નગરમાં હાથી ફળિયું વિસ્તારમાં વર્ષો જૂનું મંદિર આવેલું છે જે રાજાશાહી સમયનું છે જે મંદિરની સામે મહાદેવ મંદિરનો કૂવો છે ત્યાં વર્ષોથી હિન્દુ સમાજ પૂજા તથા પ્રદિક્ષણા કરતા આવ્યા છે ત્યાં નગરપાલિકા કે વિના ઈકબાલભાઈ નામનો ઈસમે કબજો કર્યો છે. તે આજુબાજુના રહેવાસીઓ સાથે ઝઘડો તથા ગાળા ગાળી કરે છે તેથી આ ધાર્મિક સ્થળને અતિક્રમણથી મુક્ત કરવું. અગાઉ પણ નગરસેવકને જાણ કરી હતી છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું.




Users Today : 6
Users Last 30 days : 1161
Total Users : 13085