Explore

Search

February 11, 2026 1:45 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે જાહેરનામું

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે તારીખ ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તાપી-વ્યારા દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ કોઇપણ ઉમેદવાર તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે સબંધિત ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે તેઓની કચેરીના ૧૦૦ મીટરના આસપાસના વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો સાથે જઇ શકશે નહી તેમજ સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર તથા તેમના વધુમાં વધુ ચાર સમર્થકો મળી કુલ-૫ (પાંચ) વ્યકિતઓથી વધુ વ્યક્તિ સબંધિત અધિકારીશ્રીની કચેરીમાં જઇ શકશે નહી. આ જાહેરનામાનો અમલ હુકમની તારીખથી ૦૯/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 8 5
Users Today : 6
Users Last 30 days : 1161
Total Users : 13085