Explore

Search

December 27, 2025 8:34 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

મેદસ્વિતા: એક ગંભીર સમસ્યા,આ માત્ર દેખાવની બાબત નથી, અનેક ગંભીર રોગોનું મૂળ કારણ બની શકે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ’’મન કી બાત’’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાહન કર્યુ છે.જેના અનુંસંધાનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ’’ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’’ અભિયાન અન્વયે વડાપ્રધાનશ્રીના આહવાનને પૂરી ઊર્જાથી ઝીલીને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવાનું અભિયાનનો આરંભ કર્યો છે.

આ અભિયાનમાં મેદસ્વિતા એટલે શું ? તેના થવાનો કારણો તથા તેના ગંભીર પરીણામો તથા તેનાથી બચવાના ઉપાયો આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે. મેદસ્વિતા એટલે શરીરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થવી. આ માત્ર દેખાવની બાબત નથી, પરંતુ તે અનેક ગંભીર રોગોનું મૂળ કારણ બની શકે છે. આજના સમયમાં મેદસ્વિતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, જે બાળકોથી લઈને વડીલો સુધી દરેક વયજૂથના લોકોને અસર કરી રહી છે.

મેદસ્વિતા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં ખોટી જીવનશૈલી, બેઠાડુ જીવન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને જંક ફૂડ કે વધુ કેલરીવાળો ખોરાક લેવો મેદસ્વિતાનું મુખ્ય કારણ છે.

  1. આહારની ટેવો: વધુ પડતું ખાવું, વારંવાર ગળ્યું કે તળેલું ખાવું, અને ફળો તથા શાકભાજીનો ઓછો સમાવેશ કરવો વજન વધારે છે.
  2. આનુવંશિક કારણો: કેટલાક લોકોમાં આનુવંશિક રીતે મેદસ્વિતાનું જોખમ વધારે હોઈ શકે છે.
  3. હોર્મોનલ સમસ્યાઓ: થાઇરોઇડ જેવી કેટલીક હોર્મોનલ સમસ્યાઓના કારણે પણ વજન વધી શકે છે.
  4. માનસિક તાણ: તણાવ અને ચિંતાના કારણે ઘણા લોકો વધુ ખાવાનું શરૂ કરી દે છે, જે મેદસ્વિતા તરફ દોરી જાય છે.

દવાઓ: કેટલીક દવાઓની આડઅસર તરીકે પણ વજન વધી શકે છે.

મેદસ્વિતાના ગંભીર પરિણામો : મેદસ્વિતા શરીર માટે અનેક રીતે નુકસાનકારક છે. તેના કેટલાક ગંભીર પરિણામોમાં, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર વધારે છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે.

  1. ડાયાબિટીસ (મધુપ્રમેહ): મેદસ્વિતા ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે, જેના કારણે ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
  2. સાંધાના દુખાવા: વધારે વજનના કારણે સાંધાઓ પર દબાણ આવે છે, જેનાથી ઘૂંટણ અને કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
  3. કેટલાક પ્રકારના કેન્સર: સંશોધનો દર્શાવે છે કે મેદસ્વિતા કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.
  4. સ્લીપ એપનિયા: આ એક એવી સ્થિતિ છે જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ થોડીવાર માટે અટકી જાય છે, જે મેદસ્વી લોકોમાં સામાન્ય છે.
  5. માનસિક સ્વાસ્થ્ય પર અસર: મેદસ્વિતાના કારણે આત્મવિશ્વાસ ઘટી શકે છે અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

મેદસ્વિતાથી બચવાના ઉપાયો: મેદસ્વિતાને નિયંત્રિત કરવા અને તેનાથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે:

  1. સંતુલિત આહાર: ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો. જંક ફૂડ, તળેલું અને ગળ્યું ખાવાનું ટાળો.
  2.  નિયમિત કસરત: દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ માટે ચાલવું, દોડવું, સ્વિમિંગ અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ.
  3. પૂરતી ઊંઘ: દરરોજ ૭ – ૮ કલાકની પૂરતી ઊંઘ લેવી શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  4. તણાવનું વ્યવસ્થાપન: યોગા, ધ્યાન અથવા અન્ય તણાવ ઘટાડવાની તકનીકોનો ઉપયોગ કરો.
  5. સમયસર ભોજન: નિયમિત સમયે ભોજન લેવું અને નાસ્તો ન છોડવો.
  6. ડૉક્ટરની સલાહ: જો તમને વજન ઘટાડવામાં મુશ્કેલી આવી રહી હોય તો ડૉક્ટરની સલાહ લો.

મેદસ્વિતા એક ગંભીર આરોગ્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને તેનાથી બચી શકાય છે અને તેના નકારાત્મક પરિણામોને ટાળી શકાય છે. તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી એ જ મેદસ્વિતા સામેનો સૌથી અસરકારક ઉપાય છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243