Explore

Search

February 14, 2026 8:44 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi : નિઝરનાં નવલપુર ગામમાં બે અકસ્માત નોંધાયા

નિઝરનાં નવલપુર ગામમાં બે ટ્રકો જુદા-જુદા સ્થળે પલ્ટી જવાની ઘટના બની હતી જેમાં કિસ્સામાં રાત્રિ દરમિયાન એક ટ્રક રોડની સાઈડમાં આવેલા ખેડૂતનાં ઘરનાં આંગણામાં ધસી જઈને પલ્ટી જતાં ઘરને નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ, ઉચ્છલ-નિઝર રોડ નવલપુર ગામમાંથી પસાર થાય છે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને જોડતી કડીરૂપ રસ્તા ઉપરથી આંતરરાજ્ય વાહનો ચોવીસ કલાક અવરજવર કરે છે. ગત તારીખ ૧૭/૧૨/૨૦૨૪ નાંરોજ સુરત તરફથી બટાકાની બોરી ભરીને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રક નંબર એમપી/૧૩/જીબી/૧૫૮૮નાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ઘરો નજીક પલટી ગઇ હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજા બનાવમાં નવલપુર ગામની વચ્ચે બંધ બોડીની ટ્રક નંબર એમપી/૦૯/એચએચ/૩૨૧૦ રસ્તાની બાજુમાં ખેડૂત છગનભાઈ વળવીના ઘર ઉપર જ પલટી ગઇ હતી. જોકે ખેડૂત તથા તેમના પૌત્ર ઘરમાં સુતા હતા હોય જેઓ ટ્રકનાં ધડાકાનાં અવાજથી જાગી જઈને ઘરમાંથી બહાર ભાગી જતા ચમત્કારિક રીતે બચી ગયા હતા. ટ્રક મધ્યપ્રદેશમાંથી આશરે ૧૫ ટન જેટલું વજન ભરી સુરત તરફ જતી હતી. તે દરમિયાન અકસ્માત થયો હોવાની વિગત મળી છે. ખેડૂતના ઘરની દીવાલો તૂટી જવા સાથે પતરાં-થાંભલાને નુકસાન પહોંચ્યું થયું હતું.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 1 0
Users Today : 4
Users Last 30 days : 1153
Total Users : 13110