ડોલવણનાં કલકવા ગામેથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨.૩૧ લાખથી વધુનો મુદ્દામાલ કોઈક અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં કલકવા ગામનાં પક્ષિમ આહીર ફળિયામાં રહેતા બાલુભાઈ ભગુભાઈ ચૌધરી (ઉ.વ.૬૨) ખેતી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તારીખ ૧૨/૧૨/૨૦૨૪નાં રોજ બાલુભાઈનાં ઘરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમે ઘરમાં મુકેલ કબાટને કોઈક સાધન વડે કબાટનું લોક તોડી કબાટની તિજોરી તોડી તેમાં મુકેલ તેમની પત્ની રમીલાબેન અને વહુ રીંકલબેનના સાત જોડી ચાંદીનાં સાંકળા તથા ચાંદીની વીંટી, બે ચાંદીના લુઝ મળી જેનું વજન આશરે ૨૫૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- અને એક સોનાની ચેઈન ચપટી આકારની જેનું વજન આશરે ૧૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- તેમજ નાની-મોટી ત્રણ સોનાની વીંટી જેનું વજન આશરે ૧૪ ગ્રામ જેટલું જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-, એક સોનાનું લુઝ જેનું વજન આશરે ૪.૮૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-, એક સોનાનું કંગન જેનું વજન આશરે ૧૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨૭,૦૦૦/-, બે જોડી સોનાની કડી જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/-, એક સોનાની બુટ્ટી લાંબી જેનું વજન આશરે ૬ ગ્રામ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-, એક સોનાનું પેન્ડલ જેનું વજન આશરે અડધો ગ્રામ જેની કિંમત રૂપિયા ૪,૫૦૦/- તથા રોકડ રૂપિયા આશરે ૪૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૩૧,૫૦૦/-ની ચોરી થઈ હતી. ચોરી અંગે બાલુભાઈ આહીરએ તા.૧૩/૧૨/૨૦૨૪નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 3
Users Last 30 days : 905
Total Users : 11409