Explore

Search

February 15, 2026 8:35 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી અજાણ્યા ઈસમનું વાહન અડફેટે મોત નિપજ્યું

વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૫૩ પર સોનગઢથી બારડોલી તરફ જતા હાઈવે પરનાં ટ્રેક પર ગત તારીખ ૦૭/૧૦/૨૦૨૪નાં રોજ એક અજાણ્યો પુરુષ ઇસમ જેની આશરે ઉંમર ૪૫થી ૫૦ વર્ષનો જેના નામ સરનામું જણાઈ આવેલ નથી જેણે શરીરે મરૂણ કલરનું આખી બાઈનુ શર્ટ તથા કમરે કથ્થઈ કલરનો પેન્ટ પહેરેલ છે તથા જમણા હાથે પંચ ધાતુનું લુઝ પહરેલ છે તેને કોઈ અજાણ્યો વાહન ચાલક જેના ગાડી નંબર કે ચાલકનું નામ સરનામું કોઈ પત્તો નથી તેણે પોતાનું કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજાણ્યા પુરૂષ ઇસમને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.

જોકે આ અકસ્માતમાં અજાણ્યા ઈસમનાં માથાનાં ભાગે ગંભીર ઇજા તથા શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગે હિરેનભાઈ નરસિંહભાઈ ચૌધરી (રહે.ખુશાલપુરા ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા)નાંએ વ્યારા પોલીસ માથેકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 1 4
Users Today : 2
Users Last 30 days : 1147
Total Users : 13114